જન્મ મૃત્યુ વચ્ચે ની સફર પરિક્રમા,
બાળપણ થી શરૂ થતી સફર ની યાત્રા,
સંસ્કારો ની પોટલી ગડથુથી માં બાંધી,
પરિક્રમા પ્રારંભ કરી ,
સંસાર નો પરીઘ આપ્યો વિશાળ,
સમય ના બંધન માં બાંધ્યો સદાય,
કુદરત ના પંચ તત્વો ને ઉપરી ગણ્યા
જ્યાં માનવ સહજ રહ્યો લાચાર,
સદાય સમજ ને ભ્રમ માં રહયા આપણે,
ત્યાં જીવન ની આધેડ વયે પહોંચી પરિક્રમા,
ત્યાં!! સમજાયું કે મેં કાંઈ નથી મેળવ્યું જીવન માં,
એ ભ્રમ જ્ઞાન આવ્યું ને પકડ્યો હાથ પરમાત્મા નો,
હજુ પરમાત્મા ને મડું ત્યાં ઘડપણ એ જવાબ આપ્યો,
છતાં મને પરમાત્મા ના નિખાલસ,સ્વાર્થ વગર
સ્વીકાર કરવાનું મને જચી ગયું,
સંસાર નો પરિઘ પૂરો થતો દેખાય છે જીર્ણ નયન માં
છતાં મોહ માયા માં મદમસ્ત હું ને પૂછું છું!!!!!
કે!!!કેટલો પરિઘ બાકી છે મારા જીવન સંસાર નો,
બસ!!! એ ધૂંધળું ધૂંધળું દેખાય મને ને !!!!!!
ત્યાં!! જીવન ને પ્રફુલ્લિત કરે ભૂલકાંઓ મારા,
પછી ભૂલી જાઉં હું એ પરિઘ ની પરિક્રમા ને,
“કિનારો” બની જાઉં હું સંસાર નો !!!!
ત્યાં !!!! દસ્તક સંભળાય મૃત્યુ નો!!!!!!!,
ને હું સફર કરું દેવ લોક ની પરિક્રમા ની,
ને નિશ્ચિંત બની મોહ માયા ને અલવિદા કરી,
દેવ ને મળવા ની પરિક્રમા ની શરૂઆત કરું,